વડોદરા શહેર તરસાલી બાયપાસ પાસે આવેલ શ્રી પીપળ વાડી વાવ મંદિર ખાતે મારુતિ મંડળ દ્વારા છેલ્લા ૧૪ વર્ષોથી ચૈત્ર નવરાત્રી નિમિત્તે મહાપ્રસાદી તેમજ ભંડારાના આયોજન કરવામાં આવતું હોય છે. ચૈત્ર નવરાત્રી પૂર્વ સંધ્યાએ બીફોર નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ એ ગરબે ગુમી હતી સાથે મહા યજ્ઞ સાથે ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. મારુતિ મંડળ દ્વારા લોક ડાયરા નું ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે મંદિરના પ્રાંગણને લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું
આ પ્રસાદીમાં મોટી સંખ્યામાં માઇ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો સાથે જ આવતી કાલથી શરૂ થનાર ચૈત્ર નવરાત્રી ની તમામ માઈ ભક્તોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી

