છોટાઉદેપુર જીલ્લા પ્રભારી મંત્રી ભિખુસિહ પરમાર દ્વારા ટ્રાઈબલ સબ પ્લાનના આયોજનને મનસ્વી રીતે આયોજન બદલી કાઢવાનો આક્ષેપ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો,
કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ આકરા પ્રહારો કર્યા હતા,
કોંગ્રેસે જીલ્લાના ધારાસભ્યો, સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખને પત્ર લખી સવાલો ઉભા કર્યા હતા,
છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર દ્રારા ભાજપના નેતાના બંગલે 25 કરોડથી વધુ રકમના કામોનું આયોજન કર્યાના મુદ્દે રાજકારણ ગરમાયું હતું,
પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે કોંગ્રેસના આક્ષેપોને પાયા વિહોણા ગણાવી માત્ર ત્રણ કરોડના જ આયોજનમાં ફેરફાર કર્યાંનું જણાવ્યુ હતું,
પદાધિકારીઓની સંમતિથી ફેરફાર કર્યોનું પ્રભારી મંત્રીએ કબૂલ્યું,
મોહસીન સુરતી છોટાઉદેપુર

