છોટાઉદેપુર તાલુકા પંચાયત સભાખંડ ખાતે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો તલાટી કમ મંત્રીઓ અને તાલુકા પંચાયતના સ્ટાફ સાથે વિકાસના કામોને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અંદર વિશેષ છોટાઉદેપુર તાલુકામાં વિકાસ વધુ કઈ રીતે થઈ શકે તે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે છે છેવાડાના માનવી સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે જે પરિવારનું પોતાનું ઘર નથી તેને ઘર મળે એ બાબતે પણ મિટિંગની અંદર ચર્ચા કરવામાં આવી હતી. અને સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ જે સૂત્ર છે, તે સાર્થક બને તે માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
મોહસીન સુરતી છોટાઉદેપુર

