30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી પતંગ બજારમાં મંદીનો સાયો : ઉતરાયણ નજીક હોવા છતાં વેપારીઓ ચિંતિત, ભાવમાં ૧૦ ટકા વધારો

નસવાડી : ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં નસવાડીના પતંગ બજારમાં આ વર્ષે મંદીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. દર વર્ષે આ સમયગાળા દરમિયાન બજારમાં ભારે રોનક, ગ્રાહકોની ભીડ અને વેચાણમાં તેજી જોવા મળતી હતી, પરંતુ આ વર્ષે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. પતંગ અને દોરાની દુકાનો પર ગ્રાહકોની આવનજાવનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે પતંગ દોરાના ભાવમાં અંદાજે ૧૦ ટકા જેટલો વધારો થયો છે. કાચ દોરા, વિવિધ કંપનીના તૈયાર દોરા તેમજ સ્થાનિક દોરાની સાથે બજારમાં અનેક નવીન વેરાઈટીઓ ઉપલબ્ધ હોવા છતાં લોકો ખરીદી કરવા આગળ આવતાં નથી. પતંગોની કિંમતોમાં પણ વધારો થતાં સામાન્ય ગ્રાહકો માટે ખરીદી કરવી મુશ્કેલ બની છે.

વેપારીઓનું કહેવું છે કે વધતી મોંઘવારી, લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો અને છેલ્લા કેટલાક વર્ષોમાં ઉતરાયણ પ્રત્યે યુવાનોના રસમાં ઘટાડો થવાને કારણે પતંગ બજાર પર સીધી અસર પડી છે. ઘણા વેપારીઓ ગયા વર્ષના નુકસાનમાંથી હજી બહાર આવી શક્યા નથી, ત્યાં આ વર્ષે પણ શરૂઆતથી જ મંદી જોવા મળતા તેઓમાં ચિંતા વધી છે.

ઉતરાયણ નજીક હોવા છતાં બજારમાં અગાઉ જેવી ચહલપહલ અને ઉત્સાહ જોવા મળતો નથી. પતંગ બજાર પર આધાર રાખીને રોજગાર ચલાવનારા નાના વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. હવે ઉતરાયણના અંતિમ દિવસોમાં ખરીદદારોની સંખ્યા વધે અને વેચાણમાં તેજી આવે તેવી આશા સાથે વેપારીઓ રાહ જોઈ રહ્યા છે.

Related posts

છોટાઉદેપુર નાં અંતરિયાળ એવા ગુનાટા ખાતે વિધવા બહેનોને તથા રાણી કાજલ કન્યા છાત્રાલય ની બાળાઓ ને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા

admin

નસવાડીમાં મેગા લકી ડ્રોનો મહાધમાકો, 31 ઇનામોથી ગ્રાહકોમાં ભારે ઉત્સાહ

admin

નસવાડી ખાતે જી.બી.સોલંકીનો ભવ્ય સત્કાર સમારોહ, સમર્થકોમાં ખુશીની લહેર

admin

Leave a Comment