Genius Daily News
Uncategorized

સહી પોષણ દેશ રોશન ના સ્લોગન સાથે રાષ્ટ્રીય પોષણ માહ કાર્યક્રમ અંતર્ગત પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

વર્ષ ૨૦૨૫ સુધી માં ટીબી રોગને દેશમાંથી નાબૂદ કરવા ના દેશના માનનીય વડાપ્રધાનની મહત્વકાંક્ષી ઝૂંબેશ ને વેગ આપવા માટે ટીબી રોગના દર્દીઓ માટે દવા સાથે પૌષ્ટિક આહાર લેવો પણ અનિવાર્ય બની રહે છે. તે હેતુસર ભારત સરકાર આરોગ્ય મંત્રાલયે વર્ષ પહેલી એપ્રિલ ૨૦૧૮ થી નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને તેમની સારવાર શરૂ કર્યા થી સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી તેમના બેંક એકાઉન્ટ માં દર મહિને રૂપિયા ૫૦૦/- ની સહાય આપવામાં આવે છે. તે ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ તથા સેવાભાવી દાતાઓના સહયોગથી દર્દી ને પૂરતું પોષણ મળી રહે તે માટે નિક્ષય મિત્ર નામની સ્કીમ અંતર્ગત એક એક મહિના ની પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરીને આપવા માટે ની પણ ઝૂંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે આજે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા રાષ્ટ્રીય પોષણ માહ કાર્યક્રમ અંતર્ગત “સહી પોષણ દેશ રોશન” ના સ્લોગન સાથે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી.

જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં મેડિકલ ઓફિસર ડો કુલદીપ શર્મા તથા દિપક ફાઉન્ડેશન વડોદરા ના પ્રોજેક્ટ ઓફીસર આકાંક્ષા સિંહ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં વાલસિંગભાઈ રાઠવા તેમજ પરેશભાઈ વૈદ્ય અને મનહરભાઈ વણકર, બ્રિજેશ ગુપ્તા સહિત ટીબી રોગની સારવાર લઈ રહેલા અને પૌષ્ટિક આહાર કીટ ના ૨૬ જેટલા લાભાર્થી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ગુજરાતની દીકરીઓને ગુજરાત પોલીસ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવો જોઈએ – નિશાંત રાવલ

admin

છોટાઉદેપુર જિલ્લામાં ભગવાન વિઘ્નહર્તાને નમ્ર આંખોએ વિદાય આપવામાં આવી

admin

વડોદરા નાગરિક સંઘર્ષ મંચપૂરગ્રસ્તો ના પ્રશ્નો હલ કરો વડોદરા માં પૂર નો કાયમી ઉકેલ લાવો. કમિશનર શ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

admin

Leave a Comment