બે રાજ્યોને જોડતો રસ્તો હોવાથી આ રસ્તા ઉપર વાહનોની ભારે અવર જવર,
આ રસ્તો સ્ટેટ આર એન્ડબી વિભાગની માલિકીનો છે. અને પુલની પેરાફીટ રીપેરીંગ કરાવવા માટે સ્ટેટ આર એન્ડબી વિભાગ ના અધિકારીઓ કાળજી લેતા નથી,
કોઈ વાહનો સામસામે ભટકાઈ અને પેરાફિટ ને અડે ત્યારે પેરાફિટ તૂટી જાય તેવી સ્થિતિમાં છે, જેના કારણે વાહનો નદીમાં ખાબકાઇ તેવી સ્થિતિ,
સ્ટેટ આર એન્ડબી વિભાગ જાણે કોઈ મોટી દુર્ઘટના થાય ત્યાર બાદ પેરાફીટનું રીપેરીંગ કરાવશે તેવું લાગી રહ્યું છે,
સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ આ પુલ વર્ષો જૂનો છે, અને પાવીજેતપુર પાસે ભારજ નદી નો પુલ જે રીતના ધોવાઈ ગયો તે રીતના આ પુલ ક્ષતિ ગ્રસ્ત ના થાય તે માટે કાળજી લેવી જોઈએ,

