40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ગોરવાના દશા મંદિર પાસેના દબાણદૂર કામગીરી દરમિયાન વર્ષો જૂનું ભાથુજી મહારાજનું મંદિર તોડતા લોકોમાં રોષ

વડોદરા શહેરના ગોરવા વિસ્તારના દશામાં મંદિર પાસે દબાણ શાખા દ્વારા ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કાચા–પાકા મકાનોને તોડવાની કાર્યવાહી કરાયા બાદ દબાણ શાખાની ટીમે દશામાં મંદિર સામે આવેલ ભાથુજી મહારાજનું વર્ષો જૂનું મંદિર પણ તોડી પાડ્યું હતું. કોઠિયા તળાવ વિસ્તારમાં ખોડિયાર માતા અને ભાથુજી મહારાજનાં મંદિરો સાથે કેટલાક મકાનો પણ દૂર કરતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો।

આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર રામીએ ભાજપના ધારાસભ્ય કેયુર રોકડીયા અને વડોદરા મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમની દલીલ મુજબ, “ભાથુજી મહારાજનું વર્ષો જૂનું મંદિર તોડી પડે ત્યારે કોઈ માનવતા દેખાડવામાં આવી નથી. હિન્દુઓની વાતો મોટા પ્રમાણમાં કરનાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભગવાનનું મંદિર જ નડ્યું હોય એવું લાગે છે.”

સ્થાનિક નાગરિકોમાં પણ નારાજગી જોવા મળી હતી. લોકોનું કહેવું છે કે
“આજે માનવતાના ઘર તો તોડી પડાયા જ છે, હવે તો ભગવાનના મંદિર પણ સુરક્ષિત નથી.”

દબાણદૂર કામગીરી દરમિયાન ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવાતા આખા વિસ્તારમાં ચર્ચા અને અસંતોષની લાગણી ફેલાઈ છે.

Related posts

આગામી 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ પહેલા શહેરમાં નિકડનાર તિરંગા યાત્રા ને પગલે પાલિકા ની વડી કચેરી ખાતે બેઠક યોજાઇ

admin

યશોદા ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ હૈદરાબાદ દ્વારા વડોદરામાં એડવાન્સ્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટેશન ટ્રીટમેન્ટ અંગે પત્રકાર પરિષદ યોજી

admin

તમામ વિસ્તારોમાં પોલીસ સ્ટાફ સાથે ચેકીંગ અને કોમ્બિગ કરવામાં આવે અને ભાયલી ગેંગ રેપના આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે સામાજિક કાર્યકર્તાઓ દ્રારા માંગ

admin

Leave a Comment