પુર્વ મુખ્ય મંત્રી ગુજરાત શંકરસિંહ વાઘેલાએ ફરી આલાપ્યો દારૂબંધીનો રાગ
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ફરી રાજકારણમાં સક્રિય થયા છે. ત્યારે આ નવી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાર્યાલય શરુ કરી દેવાની કવાયત હાથ ધરાઇ છે. જે અંતર્ગત વડોદરામાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના શહેર કાર્યાલયનું ઉદ્ધાટન સમારોહ સંમેલન પ્રસંગે આવેલા શંકરસિંહ વાઘેલાએ ફરી એક વાર દારૂબંધીને લઈને નિવેદન આપ્યું હતું.વડોદરામાં પાર્ટી કાર્યાલયનાં ઉદ્ઘાટન પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે ‘ ગુજરાતમાં દારૂબંધી ખોટી છે, નવી લીકર પોલીસી બનાવો”.ગુજરાતમાંથી દારૂબંધી હટશે તો પ્રજાનું ભલું થશે.આ રેવન્યુથી રાજ્યમાં હેલ્થ અને એજ્યુકેશન મફતમાં થશે.

