સસ્તા અનાજની દુકાનદારો એ આવેદનપત્ર પાઠવ્યું
રાજ્યના 17 હજાર જેટલા સસ્તા અનાજ ની દુકાન ધારકો ની વિવિધ માંગણીઓ ને લઈ હડતાળ કરી રહ્યા છે તેવો ને સમર્થન માટે સાવલી તાલુકાના દુકાનદારો એ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું
ગુજરાત રાજ્યના પુરવઠા વિભાગ સાથે સંકલિત FPS સસ્તા અનાજ ની દુકાન ધારકો કમિશન વધારવા સહિત ની અનેક માંગણીઓ સાથે 1,લી નવેમ્બર થી ગુજરાત FPSએસોસિએશન ના 17000 જેટલા સસ્તા અનાજ ની દુકાન ધારકો હડતાળ પર છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી ના તાલુકાસેવાસદન પોહચી તાલુકાના 77 દુકાનદારો પોતાની માંગણી ના સૂત્રોચ્ચાર સાથે મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી અને સરકાર દ્વારા માંગણીઓ નો સ્વીકાર ન કરાય તો રાજ્યસ્તર ના બંને એસોસિએશન દ્વ્રારા બંધ ની જાહેરાત ના થાય ત્યાં સુધી વડોદરા શહેર અને ગ્રામ્ય ની વ્યાજબીભાવ ની દુકાનદારો સમર્થન માં રહીશું નો ઉલ્લેખ આવેદનપત્ર માં કરાયોછે

