પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે ગઈ કાલે આપેલા નિવેદન મુદ્દે પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે 70 વર્ષનો પુલ રેત ખનન થવાના કારણે પુલ તૂટ્યો છે, જયારે ચાર મહિના પહેલા જ સરકારે બનાવેલુ ડાયવર્ઝન પાણીમાં ધોવાય ગયું છે, આ અંગે પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રો અર્જુન રાઠવા સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો હોય જેણે લઈને સરકાર જીવાદોરી સમાન પુલ બનાવી શકી નહીં,
આગામી દિવસોમાં કોંગ્રેસ જિલ્લાના ખખડધજ પુલો બાબતે આંદોલન કરી આવેદન પત્ર આપશે,
પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા સાથે પ્રો અર્જુન રાઠવા, જગાભાઈ રાઠવા, શશીકાન્ત રાઠવા, વિષ્ણુ રાઠવા, કાજલ રાઠવા, સોમાભાઈ રાઠવા, સહિતના કોંગ્રેસના નેતા જોડાયા હતા,
કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા અને અર્જુન રાઠવા એ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા,

