ઠકરાની ત્રીજના દિવસે વૈષ્ણવોના વ્રજ સુખધામ હવેલી ખાતે શ્રી વલ્લભને ઝુલે ઝુલાવવામાં વૈષ્ણવોનું કીડીયારું ઉભરાયું.
પુષ્ટિ સંપ્રદાયમાં ઠકરાની ત્રીજ દિવસ પ્રભુ શ્રીકૃષ્ણ સ્વામીજી કે સાથ ઝૂલે એમ યુગલ સ્વરૂપે હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા જે અંતર્ગત શ્રીમદ્ ગોકુલના ઠકરાની ઘાટ ઉપર યમુનાષ્ટક સ્તોત્રની રચના શ્રી મહાપ્રભુજીએ કરી હતી આમ શ્રી વલ્લભ અને મૉ યમુનાજી ની કૃપા વગર પ્રભુ ન મળે તે વાસ્તે સાક્ષાત મૉ યમુનાજી સ્વરૂપ અમ્માજી,તૃતીય પીઠાધેશ્વર વૈષ્ણવોના સરકાર સાક્ષાત વલ્લભ સ્વરૂપ ડો વાગીશકુમારજી મહારાજ, વંદનીય વહુજી મહારાજ, લાલનશ્રીઓ પૂ. વેદાંત કુમારજી મહોદય, પૂજ્ય સિદ્ધાંતકુમારજી મહોદયશ્રી ના મંગલમય ઉપસ્થિતિમાં સુખધામ હવેલી ખાતે વિશે શણગારેલ જુલામા વૈષ્ણવો દ્વારા પૂજ્યશ્રીઓને ઝુલામાં ઝુલાવીને શ્રી હરિને હેતથી ઝૂલે ઝુલાવવાનો અવસર એમ શ્રી વલ્લભને શણગારેલ હીંચકામાં ઝુલાવા માટે કતારો લાગી હતી. પૂજ્યશ્રીઓના ચરણ સ્પર્શ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વૈષ્ણવો ભાવ વિભોર બન્યા પૂજ્યશ્રીઓએ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભમ ભવતુ કલ્યાણસ્તુ આશીર્વાદ પ્રદાન કર્યા હતા. શ્રીજી ના અલૌકિક દર્શનનો બહુમૂલ્ય લ્હાવો લઈને ધન્યતા અનુભવી.
next post

