જી.એસ.એફસી ના કોન્ટ્રાક્ટર કર્મચારીઓનો પગાર બંધ કરીને છૂટા કરી દેવાતાં GSFC કંપનીની બહાર સુત્રોચાર સાથે ધરણાં યોજી
ન્યાય આપો ન્યાય આપોની માંગણી કમૅચારીઓ કરી.
જીએસએફસી કંપની દ્વારા 100 જેટલા કર્મચારીઓનો પગાર બંધ કરીને છૂટા કરી દેતા કર્મચારીઓ છેલ્લા 15 દિવસથી ધરણા પર બેઠા છે. જ્યારે કંપની એ ફેબ્રુઆરી થી પગાર આપવાનું છે. બંધ કરી દેતા કર્મચારીઓ માટે ઘર ચલાવવાનું
તકલીફ પડી રહી છે. કામદારોએ જણાવ્યું હતું કે, વર્ષ 2015માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 2017માં કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, જ્યાં સુધી નવીમાં ચુકાદો કે સુધારો ન આવે ત્યાં સુધી શ્રમજીવીઓનું પગાર ધોરણ ચાલુ રહેવું જોઈએ. આ ચુકાદા મુજબ કંપનીએ કામદારોનું પગાર ધોરણ બંધ કરવું કે તેમને છૂટા કરવા ન જોઈએ. જોકે આ ચુકાદાને ધ્યાનમાં લીધા વગર ફેબ્રુઆરી 2025થી શ્રમજીવીઓનું પગાર ધોરણ બંધ કરી દેવામાં આવે છે
જેથી કર્મચારીઓ ન્યાય આપો ન્યાય આપોકોર્ટેના આદેશ નુપાલન કરવામાં આવે એવી માંગણી કામદારોએ કરી હતી અને જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા યોજીવા માં આવશે તેમ કર્મચારીઓ જણાવ્યું હતું.

