વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે રાવપુરા વિધાનસભા મત વિસ્તારના પાલિકા ને લગતા પ્રશ્નોના મુદ્દે બેઠક યોજવામાં આવી હતી જેમાં વોર્ડ નંબર 14 અને 16 ના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં વોર્ડ નંબર 14 માં મુખ્યત્વે વરસાદી પાણીનો ભરાવો અને રામનાથ તળાવનું જે કામ ચાલી રહ્યું છે તે પોતે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે વાડી જીઇબી થી નાની શાક માર્કેટ વિમલ બેકરી પાસેની કાસ ની સફાઈ કરાવી અને રામનાથ તળાવમાં બારેમાસ પાણીની આવક કઈ રીતે થાય તે બાબતે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું હતું.
જ્યારે બીજી તરફ વોર્ડ નંબર 16 માં વરસાદી પાણીના નિકાલ માટેની રજૂઆત કરાઈ હતી અને ભવિષ્યમાં પાણી ન ભરાય તે માટેનું આયોજન કરવા સૂચન કરાયા હતા.
તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ મુદ્દા ને સકારાત્મક લઈ અને આયોજન કરવાની ખાતરી આપી હતી.
આ બેઠકમાં વોર્ડ નંબર 14 ના કાઉન્સિલર નંદાબેન જોશી સચિન પાટડીયા જેલમ ચોકસી હરેશ જિંગર અને વોર્ડ નંબર 16 માંથી સ્નેહલબેન પટેલ હાજર રહ્યા હતા.

