ડભોઇ તાલુકાના 12 શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડભોઇ તાલુકાના અમરેશ્વર ગામ ખાતે ખાતમુહૂર્ત ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ( સોટ્ટા) ડભોઇ તાલુકામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કુલ રૂ. ૯.૧૬ કરોડના ખર્ચે ૧૨ પ્રાથમિક શાળાઓમાં ૪૬ ઓરડા બનાવવાના કામનું. અમરેશ્વર ગામે ખાતમુહૂર્ત કર્યું. ડભોઇ તાલુકાની પલાસવાડા કરણેટ, અમરેશ્વર, સિંધિયાપુરા, ભિલોડિયા, ઢાલનગર વસાહત,સુંદરકુવા, સીતપુર, ભાલોદરા, પારાગામ, સોમપુરા ગામની પ્રાથમિક શાળાઓ ને લાભ મળશે.
ડભોઇ તાલુકાના અમરેશ્વર ગામ સહિત બાર ગામોની નવીન શાળાના 46 ઓરડા 9 કરોડ 16 લાખના ખર્ચે મંજૂર થયા હોય જેનુ આજરોજ ખાતમૂહૂર્ત ડભોઈ મત વિસ્તારના વિકાસ પુરુષ લોકલાડીલા ધારાસભ્યશ્રી શૈલેષભાઈ (સોટ્ટા) ના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ તડવી તાલુકા પંચાયતના માજી સદસ્ય અને ભાજપ અગ્રણી ભાવેશભાઈ પટેલ (નળ ) તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ શાહ મહામંત્રી દત્તુસિંહ સોલંકી વિરલભાઈ પટેલ સરપંચો અને શિક્ષકો ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

