ગતરોજ પડેલા વરસાદને કારણે નવાપુરા વિસ્તારમાં આવેલા 56 ક્વાર્ટર નજીક પાણીનો ભરાવો થયો હતો.પાણીનો નિકાલ નહીં થતા લોકોમાં નારાજગી જોવા મળી હતી.
ગઈકાલે પડેલા દોઢ ઇંચ વરસાદ માં અનેક વિસ્તારોમાં લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી.જ્યારે નવાપુરા વિસ્તારમાં આવેલા 56 ક્વાર્ટર નજીક પાણીનો ભરાવો થયો હતો.જે વરસાદ બંધ થયા ના 12 કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થયો ન હતો.ત્યારે, છેલ્લા 35વર્ષો થી આ પ્રકારની મુશ્કેલીનો સામનો નાગરિકો કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા.બીજી તરફ કાઉન્સિલરો દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી.જ્યારે કાઉન્સિલર દ્વારા સ્થાનિકો જ કચરો કરતા હોવાનો આક્ષેપ કર્યા હતા અને સફાઈ સમયસર થતી હોવાનો પણ કાઉન્સિલરે દાવો કર્યો હતો.

