27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં થયેલ ખૂની હુમલા કેસમાં આરોપીનું રી-કન્સ્ટ્રક્શન કરાયું

વડોદરા: જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક થયેલા ખૂની હુમલા કેસમાં પોલીસે આરોપી વિશાલ કહારને ઘટનાસ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. દરમિયાન પોલીસે આરોપી પાસેથી હુમલો કેવી રીતે કર્યો, ક્યાંથી આવ્યો અને હુમલા બાદ કેવી રીતે ફરાર થયો તેની વિગતો સ્થળ પર રજૂ કરાવી હતી.

આ ઘટનામાં છરા વડે કરાયેલા હુમલામાં મોહંમદ હુસૈન ઝુલ્ફીકાર અલી સૈયદનું મોત નિપજ્યું હતું. તપાસ દરમિયાન ખુલ્યું છે કે હુમલા બાદ આરોપી સમા વિસ્તારમાં વિશ્વામિત્રી નદી પાસે છુપાયો હતો.

પોલીસે અગાઉ જ આરોપી પાસેથી ચપ્પુ તેમજ લોહી લાગેલા કપડાં જપ્ત કર્યા હોવાનું જણાવ્યું છે. રી-કન્સ્ટ્રક્શન દરમિયાન ઘટનાની દરેક કડીને જોડીને પોલીસે તપાસ વધુ આગળ ધપાવી છે.

Related posts

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટ માંથી વોર્ડ નંબર-9 માં શિવ પાર્ક થી વિષ્ણુ ધામ સોસાયટી સુધી ગટર લાઈનનું ૧ કરોડ ના ખર્ચ ખાતમુર્હત કરવમાં આવ્યુ…

admin

વડોદરાના સુભાનપુરા ખાતે બે દિવસીય અયૈપા પૂજાનો કાર્યક્રમ સાથે જ વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું

admin

પાલિકાના હંગામી કર્મીઓએ મોરચો કાઢી વિરોધ કર્યો

admin

Leave a Comment