સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી શરૂ થયેલી ‘સરદાર @ 150 રાષ્ટ્રીય એકતા યાત્રા’ એ આજે વડોદરા શહેરમાં પ્રવેશ કર્યો હતો. આ યાત્રા એ શહેરમાં પ્રવેશ કરતા વિવિધ સમાજો , ધાર્મિક સંસ્થાઓ, એનસીસી કેડેટ્સ તેમજ શાળા ના બાળકો દ્વારા હાથ માં બેનર્સ સાથે પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્યુગલ ના સુર સાથે નીકળેલી આ એકતા યાત્રા માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહીત કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા , પીયુષ ગોયલ , વીરેન્દ્રકુમાર સહીત ઉચ્ચ રાજકીય નેતાઓ સહીત કાર્યકરો તેમજ મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સાંસદ, પોલીસ કમિશ્નર સહીત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ભારત માતા કી જય ના નારા સાથે નીકળેલી આ યાત્રા ને લઇ ને ટ્રાફિક ના સુચારુ વ્યવસ્થાપન અર્થે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે શહેરમાં તા. 29, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર, 2025 દરમિયાન રાષ્ટ્રીય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

