વિસાવદર ખાતે સરદાર સન્માન યાત્રાનું થયું ભવ્ય સ્વાગત આજે વિસાવદર ખાતે બપોરના ત્રણ વાગ્યે બારડોલી થી સોમનાથ સરદાર પટેલ સન્માન યાત્રા વિસાવદર ખાતે આવી પહોંચી હતી . જેમનું સ્વાગત કરવા માટે વિસાવદરના સર્વ સમાજના આગેવાનો અગ્રણીઓ રાજકીય નેતાઓ ધાર્મિક વડાઓ ભાઈઓ બહેનો ઉત્સાહભેર હાજર રહ્યા સાથે પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડ્યા પણ જોડાયા હતા.હતા વિસાવદરના સરદાર પટેલ ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાને ફુલહાર કરી વિસાવદરના સમગ્ર સમાજના આગેવાનો વચ્ચે યાત્રાને સન્માન સાથે સોમનાથ તરફ વળાવવામાં આવી હતી . લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો . આવી રીતે વિશાદ તાલીકાની શાળાના બાળકો પણ રેલી સાથે સન્માન યાત્રામાં જોડાયા હતા . રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર
previous post

