દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના આચાર્યના નેજા હેઠળ શાળાના શિક્ષકોએ એક લાખ રૂપિયાની ભેટ આપીને પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકોના જીવનમાં દીપ જગમગાવ્યો છે.
જે વિશે માહિતી આપતા શાળાના આચાર્ય ડૉક્ટર એ. કે. સિન્હાએ જણાવ્યું હતું કે, દિવાળીએ દરેકના ચહેરા ઉપર સ્મિત અને જીવનમાં પ્રકાશ પાથરવાનો તહેવાર છે ત્યારે શહેરના મહાવીર હોલ ચાર રસ્તા વિસ્તારમાં આવેલ આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાની આગેવાનીમાં મનોદિવ્યાંગ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરવામાં આવે છે. જે બાળકોની દિવાળી ગત વર્ષો કરતા આ વર્ષે કંઈક વિશેષ રીતે ઉજવાય તેવા પ્રયાસ સાથે શાળાના શિક્ષકોએ મક્કમ મને સંકલ્પ લીધો અને તે બાળકો માટે ગણતરીના કલાકમાં એક લાખ રૂપિયાનું ફંડ ભેગું કરીને સંસ્થાને અર્પણ કર્યું હતું. આ બાળકોના વિકાસ માટે ભવિષ્યમાં અમારી શાળા દ્વારા બને એટલા સુંદર પ્રયાસો કરવામાં આવશે.

