30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

ગુજરાત વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન મંત્રી મોહનસિંહભાઈ રાઠવાનો 82મો જન્મદિવસ ઉજવાયો

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર મોહનસિંહ છોટુભાઈ રાઠવા કોલેજ ખાતે છોટાઉદેપુર અને ગુજરાત વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય, અને રાજ્યના પૂર્વ વન મંત્રી મોહનસિંહભાઈ રાઠવાનો 82 મો જન્મદિવસ ઉજવાયો હતો. જે કાર્યક્રમમાં પ્રસિદ્ધ લેખક દીપકભાઈ કાશીપુરીયા ગણપતભાઈ બેચરભાઈ નાઈ, ગણપતસિંહ કોદરસિંહ રાઠવા ના દ્વારા લખેલ “તમારે સફળ થવું છે ?” ” જીવન સૌરભ”, મારી જીવન યાત્રા, પાલનો પમરાટ, ચાલને જીવી લઈએ, અમે નિશાળના છૈયા જેવા 6 જેટલા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ જન્મ દિવસ અને પુસ્તક વિમોચન તથા વિતરણ નો કાર્યક્રમ ડૉ રાજેન્દ્રભાઈ હાથીના આશિર્વચન હેઠળ અને છોટાઉદેપુર ધારાસભ્ય અને મોહનસિંહ રાઠવાના સુપુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જ્યારે પાવીજેતપુરના પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. યોજાયેલ આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના આગેવાનો, વડીલો, વિદ્યાર્થીઓ, અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

બોડેલીના સીમલઘોડા પાસે નર્મદા નહેરના મુખ્ય ગેટ પાસે મોટું ગાબડું, ખેડૂતોમાં ચિંતા

admin

૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટ ડાઉન યોગ અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

admin

છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના રર.૬૫ કરોડના ખર્ચે ૧૪ રસ્તાઓના રીસરફેસીંગ કામોની મંજુરી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી.

admin

Leave a Comment