શિશુ ગરબા મહોત્સવ 2025 અંતર્ગત જય સાઈનાથ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા નવદુર્ગા સ્વરૂપ શિશુ ગરબાના માતાજીના ભવ્યમૂર્તિના આગમન યાત્રામાં હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, આ સાથે વિસ્તારના સાર્વજનિક નવરાત્રી મંડળના 11 માતાજીના મૂર્તિઓનો પણ ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું . ઢોલ તાસા અને સાઉન્ડ લાઈટ ના આકર્ષણ સાથે આ આગમની યાત્રાની ભવ્ય ફાયર ક્રેકર શો એ પણ શોભા વધારી હતી. માં અંબેના ભવ્ય આગમનમાં વડોદરાના મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ભાજપ વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ સહિતના રાજકીય મહાનુભાવો પણ જોડાયા હતા.પંચરત્ન વેરાઈ માતા મંદિર થી શરૂ થયેલી ભવ્ય આગમન શોભાયાત્રા શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી

