કાશ્મીરના પહેલગામમાં થયેલ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ ભારતીયોને ન્યાય મળે, નિષ્પક્ષ તપાસ કરી દોષીઓને કડકમાં કડક અને જલ્દીથી સજા થાય, દેશની અંદર અને બહારના દુશ્મનોનો ખાત્મો કરવામાં આવે અને પીડિતોને જલ્દીથી સહાય આપવામાં આવે તે માટે માંગ કરી હતી. અને શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ દુઆઓ ગુજારવામાં આવી હતી કાર્યક્રમમાં વકીલ આરીફ ભાઈ મકરાણી હાજી ઇબ્રાહીમભાઇ મહુડા વાળા હાજી લાલાભાઇ ફેસલી મકબુલભાઈ મુલ્લા યુસુફભાઈ ફાતીયા યુસુફભાઈ દિવાન વકીલ જાવેદભાઈ પઠાણ ઇબ્રાહીમભાઇ ખત્રી ઈલિયાસભાઈ અત્તરવાલા નગરપાલિકા દંડક દાનિયલ મહેંદી હાજર રહી પાકિસ્તાનના આ આતંકી કૃત્યને વખોડ્યું હતું.

