ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે વાઘોડિયા રોડ ઉપર શ્રી નારાયણ વિદ્યાલય આવેલી છે આ શાળા છેલ્લા ૯ માસથી બંધ છે. શાળાના વિદ્યાર્થીઓ હાલ બે વર્ષની મળેલ મંજૂરી સાથે અન્ય શાળામાં અભ્યાસ કરી રહ્યા છે,હજુ સુધી સદર શાળાના ટ્રસ્ટીઓ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી હાથમાં લેવામાં આવી નથી એની વિગતવાર માહિતી અમોએ આપ સાહેબશ્રી ની કચેરી ને તથા આ બાબત સાથે સંકળાયેલા તમામ અધિકારીશ્રીઓને તથા પદાધિકારીશ્રીઓને અરજી અને આવેદન આપેલ છે, તેના બિડાણની કોપીઓમાં સર્વ વિગતવાર માહિતી લખેલ છે એને ધ્યાનમાં લઇ ટૂંક સમયમાં અમને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી આપશ્રી ને નમ્ર અરજ છે. સદર શાળા માં ૧૭૯૯ વિદ્યાર્થીઓ અને ૧૨૦ શિક્ષકોનું જીવન અને ભવિષ્ય જોખમાઈ રહ્યું છે તો જલ્દી માં જલ્દી આનો ન્યાય મળે એવી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી

