શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે આગજનીની ઘટનાઓ બની રહી છે જે સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ન્યૂ આઇપીસીએલ રોડ ઉપર આવેલા સીતારામ કોમ્પલેક્ષના એક દુકાનમાં કોઇક કારણોસર આગ લાગી હતી જેની માહિતી મળતાં જ વડીવાડી ફાયરબ્રિગેડ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયી હતી આ દરમિયાન અંદર એક ગેસનો સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટ્યો હતો જો કે ફાયરબ્રિગેડ ની ટીમની સમયસૂચકતા ને કારણે ફાયરબ્રિગેડ ના કર્મચારીઓ તથા આસપાસના લોકોને દૂર હટાવી દેવામાં આવ્યા હોવાથી કોઇને ઇજા કે જાનહાનિ થતાં બચી ગ ઇ હતી.આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી સાથે જ અહીં ફાયર સેફ્ટી ના સાધનો અને ફાયર એન ઓ સી હતી કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે

