આજે મંગળવારે સાંજે એમ. જી. રોડ પર આવેલ શ્રી રણછોડરાય મંદિર ખાતે થી વર્ષો જૂની પરંપરા અનુસાર તોપ ફોડી વિજય વરઘોડો કાઢવામાં આવનાર હતો. જો કે 28 વર્ષ પૂર્વે ક્ષતિ ને પગલે તોપ માં તણખા ઝરતા પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. મહારાજે હાઈકોર્ટના દરવાજા ખખડાવતા અંતે તરફેણ માં ચુકાદો આવતા નવેમ્બર કારતક એકાદશીના દિવસે વરઘોડો કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે મંદિર ના મહારાજ ના આક્ષેપ મુજબ રાજકીય નેતાઓ નો સહકાર નો અભાવ સહિત પોલીસ કમિશનર કચેરી થી જરૂરી પરવાનગી સમયસર ન મળતા આજે નિકળનાર વરઘોડો મોકૂફ રાખવામાં આવતા ભક્તો માં નિરાશા છવાઈ છે.

