વડોદરા શહેરમાં સોમવારે સાંજે આવેલા વાવાઝોડાને પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા.ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો પરેશાન થયા હતા.
વડોદરામાં આવેલા વાવાઝોડાને પરિણામે અનેક વૃક્ષો ધરાશાઈ થયા હતા.શહેરના ક્લાદર્શન રોડ ખાતે સાત થી વધારે તોતિંગ વૃક્ષો થયા ધરાશાઈ થયા હતા.શહેરના પૂર્વ વિસ્તારમાં વાવાઝોડાના કહેરથી અનેક દુકાનોના શેડ હવામાં ઉડ્યા હતા.વૃંદાવન ચાર રસ્તા પાસે બની રહેલ ઓવર બ્રીજની લોખંડની આળશ પણ ઢળી પડી હતી.વાવાઝોડાને કારણે સ્થાનિક દુકાનદારોને આર્થિક નુકશાન પહોંચ્યું હતું.જ્યારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

