વડોદરામાં સાઈ સ્વામી ઉદ્ધવદાસજીના 101 મા જન્મદિવસ તથા નવરાત્રીના નવ રંગની ઉજવણી સિંધુ ગીતાજ્ઞાન ભવન, અલંકાર ટાવર, ડાંડીયા બજાર, વડોદરા ખાતે ધામધૂમપૂર્વક યોજવામાં આવી રહી છે.આ શુભ ઉજવણી પ્રસંગે ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.તા.26ના રોજ સાંજે માતાજીની ચૌકી, તા. 27 સાંજે બાબા પરસુરામજીનો સત્સંગ, તા. 28 સાંજે સંત શ્રી કૈલાશભાઈ, પ્રકાશભાઈ સાહેબના આશીર્વચન નો લાભ ઉપસ્થિત સૌ ભક્તોએ લીધો હતો.ત્યારબાદ તા.29 સવારે 09:00 હવન, તા. 29 સાંજે સાઈજીનો ભવ્ય રીતે ધાર્મિક વિધિ વિધાન સાથે જન્મદિવસ ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ પૂનાવાળા અનંતપ્રકાશ સાઈનો સત્સંગ યોજાયો હતો. તા.30 સવારે 09:00 હવન અષ્ટમીના અનુસંધાનમાં હવન રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ સાંજે ગરબા રાખવામાં આવ્યું છે.ઉપરાંત દરરોજ સવારે 09:00 વાગ્યે સાંજે દરરોજ 05:00 થી 08:00 વાગ્યા સુધી નવરાત્રીના નવ દિવસ યોજવામાં આવનાર છે.

