કેદારનાથ ગાદી સ્થળ, ઉખીમઠ ખાતે થી કેદારનાથ મંદિર ના રાવલજી શ્રી ભીમાશંકર લિંગમ દ્વારા કેદારનાથ મંદિર ના 2025 માં કપાટ તારીખ: 2 મે, 2025 સમય: 7:00 સવારે ખુલશે, તે પહેલા આખું મંદિર ને ફૂલો થી શણગાર કરવાનું સૌભાગ્ય વડોદરા ને પ્રાપ્ત થયું, સાથે જયારે કેદારનાથ બાબા ની પાલખી કેદારનાથ ધામ માં પ્રવેશ કરશે ત્યારે મહાદેવ ના આગમન નું સ્વાગત કરવા 2 કિલોમીટર થી વડોદરા ના શિવજી કી સવારી ના શિવ ભક્તો સત્તત ફુલવર્ષા પણ કરશે સાથે હેલીકૉપટર ના માધ્યમ થી પણ ફૂલ વર્ષા આખા કેદાર ઘાટી માં કરવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે: સ્વેજલ વ્યાસ
મહાશિવરાત્રી નિમિતે પ્રતિવર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી ૐકારેશ્વર મંદિર, ઉખીમઠ, ઉત્તરાખંડ જ્યાં કેદારનાથ બાબા 6 મહિના બિરાજમાન થાય છે તે આખું મંદિર ફૂલોથી સજાવાનું સૌભાગ્ય આપણા વડોદરા તેમજ સ્વેજલ વ્યાસ, કોર્ટયાર્ડ ગ્રુપ ને પ્રાપ્ત થાય છે અને આજેજ કેદારનાથ મંદિર ના કપાટ ખુલવાની જાહેરાત થઇ છે

