દેશના પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા હિંસાને લઈને રાજ્યભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા ના જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને રામધુન સાથે વિરુદ્ધ દર્શાવવામાં આવ્યો હતો. નોંધણીના બાબત છે કે આજરોજ વડોદરા જિલ્લા કલેકટરની કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠક મળવા પામી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદનો મોરચો જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચતા તેઓને દોઢથી બે કલાક વડોદરા જિલ્લા કલેકટર ની રાહ જોવી પડી હતી જેથી વાતાવરણ ઉપગ્રહ બનતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સંકલન બેઠક હોલની બહાર જ રામધૂન તેમજ હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા હતા. આખરે સંકલન બેઠક સમાપ્ત થતાની સાથે જ વડોદરા જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આવેદન આપવામાં આવેલ હતા તે સ્વીકારવામાં આવ્યું હતું.

