વડોદરા શહેરની જાણીતી સેવાભાવી સંસ્થાઓ — ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ દ્વારા સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.
દિવ્યાંગો માટે સહાય, ધાર્મિક પ્રવાસોનું આયોજન અને ભૂખ્યાને ભોજન જેવી સેવાઓ માટે જાણીતા ડૉ. સલીમભાઈ વોરા અને મિતવા રાવલના નેતૃત્વમાં આજના શ્રાવણ માસના પાવન મંગળવારના દિવસે ખાસ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં જરૂરિયાતમંદ લોકોને બિસ્કિટ તથા અન્ય ખાદ્યસામગ્રી વિતરણ કરવામાં આવ્યું.
આ સેવાકાર્યથી લાભાર્થીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી અને તેમણે સંસ્થા તથા દાતાઓને દિલથી આશીર્વાદ આપ્યા.
આવો આપણે સૌએ પણ આવી સંસ્થાઓને સહયોગ આપીને સમાજમાં બદલાવ લાવવાનો સંકલ્પ કરીએ.

