33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વામિત્રિ નદીમાં સતત મગરોના મૃતદેહ મળી રહ્યા છે ત્યારે વધુ એક મગરનું મોત થયાનું સામે આવ્યું

વડોદરાના વિશ્વામિત્રિ નદીમાં વધુ એક મગરનું મોત થયાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં વિશ્વામિત્રિ નદીમાં સતત મગરોના મૃતદેહ મળી રહ્યા છે, જે પર્યાવરણપ્રેમીઓ અને વન વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે.આ ઘટના શહેરના વાસીઓ અને પ્રાણિપ્રેમીઓ માટે ચિંતાજનક છે, કારણ કે વિશ્વામિત્રિ નદી મગરોની મહત્વની વસાહત માનવામાં આવે છે. અંદાજે 300 કરતા વધુ મગરો અહીં વસવાટ કરે છે. સતત થઈ રહેલા આવા બનાવોના કારણે લોકોમાં શંકા છે કે નદીમાં જળ પ્રદૂષણ કે અન્ય માનવસર્જિત પરિબળો મગરોના મૃત્યુ માટે જવાબદાર હોઈ શકે.વન વિભાગ અને પર્યાવરણ સંરક્ષણ સમૂહો દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, વિશ્વામિત્રિ નદીના સંરક્ષણ માટે વધુ ગંભીર પગલાં ભરવાની જરૂર છે. આગામી સમયમાં નદીમાં ડીસિલ્ટિંગ અને શહેરી વિકાસકાર્યોને ધ્યાનમાં રાખી મગરોના નિવાસ માટે યોગ્ય આયોજન કરવામાં આવે, તો આવા અકસ્માતો ટાળી શકાય.

ત્યારે કમાટીબાગ કેબલ બ્રિજની નીચે વધુ એક મગરનું મોત થયું હતું.. ત્યારે ઝૂ ક્યુકેટર પ્રત્યક્ષ પાટનગર સ્થળ પર પહોંચી વન વિભાગની જાણકારી હતી.. અને વન વિભાગ દ્વારા ભારે મુસીબત બાદ મૃતક મગરને બહાર કાઢ્યો હતો

Related posts

વડોદરાના ફતેપુરા ત્રણ રસ્તા પર ત્રણથી ચાર ફૂટ પાણીના ફુવારા ઉછળ્યા

admin

બુટલેગરોની ‘વોર’ વચ્ચે વડોદરામાં હરિયાણા પોલીસનું ઓપરેશન! દારૂનું ગોડાઉન ઝડપાયું!

admin

વિઠ્ઠલ રખુમાઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અષાઢી એકાદશી નિમિત્તે દેવભૂમિ દ્વારકા સહિત ધાર્મિક સ્થળોએ જવા માટે આઠમી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment