વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ કોમી એકતાના પ્રતીક, હઝરત સૈયદ ફકરૂદ્દીન ગુલામ હુસેન ઉર્ફે આમિર મિયાંની પવિત્ર ખાંનકાહ રિફાઈ ખાતે તેમનો 185મો ઉર્સ ધાર્મિક ઊલ્લાસ અને શ્રદ્ધાથી ઉજવાયો હતો.
આ પાવન અવસરે રિફાઈ ખાંનકાહના સજ્જાદાનશીન હઝરત સૈયદ કમાલુદ્દીન રિફાઈ સાહેબની આગેવાનીમાં જલાલી જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં મુરીદો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
જલસામાં રિફાઈ પરંપરાના રાતિબે રિફાઈ કાર્યક્રમ અંતર્ગત મુરીદોએ શ્રદ્ધાપૂર્વક લોખંડના સળિયા શરીરમાં આરપાર કરતા દર્શન આપ્યા અને સરગતી પર ચાલીને સાકર બુઝાવવાની વિખ્યાત રિવાજોને પાળવામાં આવ્યા.
આ પાવન પ્રસંગે નૈયર બાવા અને હિસામ બાવાની પણ વિશિષ્ટ હાજરી રહી હતી.
અંતે, કમાલ બાવાએ સમગ્ર દેશ માટે દુઆ કરતા કહ્યું કે ભારત દેશમાં ભાઈચારો અને એકતા बनी રહે, દરેક જાતિ અને ધર્મના લોકો પોતપોતાના તહેવારો શાંતિપૂર્વક ઉજવે અને કોઈ પણ પ્રકારની આફત કે મુસીબત ન આવે. ભારત દેશનું નામ વિશ્વભરમાં ઊંચું રહે તેવી શુભકામનાઓ પણઆપી હતી

