શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીની 556મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે આવેલ નાનકવાડી ગુરુદ્વારા ખાતે પણ શ્રધ્ધા પુર્વક ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શીખ સમુદાયના લોકો દ્વારા ભવ્ય કીર્તન યાત્રા યોજાઈ હતી. દર વર્ષે પરંપરા મુજબ શહેરમાં શાંતિ અને ભાઈચારા ના પ્રચાર અને પ્રસાર માટે શીખ સમુદાય અને નાનક નામ લેવા સાધુ સંગત ધ્વારા વડોદરામાં શીખ સમુદાય દ્વારા ભવ્ય શોભા યાત્રા નીકળે છે.ગુરુ નાનકજી જીવનભર સૃષ્ટિના માનવીનો ઉધ્ધાર કરવા માટે અને સત્ય , શાંતિ અને ભાઈચારા ના પ્રચાર અને પ્રસાર કરવા માટે કાર્યરત રહ્યાં. હતું.શિખ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ગુરુદ્વારા થઈ નિલળેલી કીર્તન યાત્રામાંના માર્ગને ધોઈ ને સફાઈ કરવામાં આવ્યા હતા. ગુરુ ગ્રંથ સાહેબ તથા પાચ પ્યારાની આગેવાનીમાં કાર સેવા વાલે સંતબાબા “લખાસિંઘજી” તથા બીજા સંતો અને મહાનુભવો અને આગેવાનો ની આગેવાની હેઠળ ગુરુધ્વારા નાનકવાડી થી નિકળી શહેરના જુદા જુદા વિસ્તારો માંથી પસાર થઈ છાણી સ્થિત ગુરુધ્વાર ખાતે સંપન્ન થઈ હતી.
previous post

