Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી સુખધામ મંદિર વાઘોડિયારોડ ખાતે પણ.પૂ.ગો.108 શ્રી ડો.વાગીશકુમાર મહોદયજીની નિશ્રામાં મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

આજના યુગમાં રક્ત (લોહી)ની આવશ્યકતા એ દરેક જીવનમાં માનવમાત્ર માટે ખૂબ જ મહત્વની છે. રક્તદાન એ મહાદાન છે કારણ કે રક્તદાન થકી માણસનું જીવન બચાવી શકાય છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઉમા ચારરસ્તા નજીકના શ્રી સુખધામ મંદિર ખાતે સોલાર ટેક વર્લ્ડ અને શ્રીજી કંસ્ટ્રકશન દ્વારા આયોજિત મેગા રક્તદાન શિબિર નું આયોજન પરમ પૂજ્ય ગોસ્વામી 108શ્રી ડો. વાગીશકુમાર મહોદયજીની નિશ્રામાં યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો તથા અન્ય લોકોએ સવારથી જ ઉપસ્થિત રહ્યા હતાં અને રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે પ.પૂ.ગો.108 શ્રી ડો.વાગીશકુમાર મહોદયજીએ આયોજકો તેમજ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશિર્વાદ પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી સુખધામ મંદિર દ્વારા અવારનવાર સમાજસેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

Related posts

ટેરેસ પર ઊંઘવા ગયેલા પરિવારના ઘરમાંથી ૨.૭૦ લાખની ચોરી

admin

ગણેશજીની પ્રતિમાની તોડફોડ મામલે ફરિયાદ બાદ પોલીસે સઘન તાપસ કરતા મૂર્તિની તોડફોડનો ભેદ ખોલ્યો

admin

ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના ક્લિક 12 ફોટો એક્ઝિબિશનનો રાજમાતાના હસ્તે પ્રારંભ

admin

Leave a Comment