છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે ભાજપના રાજ્યકક્ષાના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર સાતમાં ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો હતો. જિલ્લાના પ્રભારી મંત્રીએ વોર્ડ નંબર સાતમા લોકો પાસે જઈને ભાજપને મત આપવા અપીલ કરી હતી. અને નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બને તે માટે નગરજનોને વિનંતી કરી હતી. સાથે સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના આક્ષેપોનો જવાબ આપતા તેઓએ કહ્યું કે નગરપાલિકામાં આમ આદમી પાર્ટીનું બોર્ડ બને તેવું કહેતા હોય એ એમની ગેરસમજ ગણાય એટલા માટે કે દિલ્હીમાં પરિણામો આવ્યા છે, તે સ્પષ્ટ દેખાય છે, હવે લોકોને આમ આદમી પાર્ટી પર ભરોસો નથી. એમ રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું.
મોહસીન સુરતી છોટાઉદેપુર

