36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગંભીરા પુલ દુર્ઘટના બાદ એસયુસીઆઇ દ્વારા વિરોધ દર્શાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા દુર્ઘટના બન્યા બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો છે.ત્યારે એસયુસીઆઇ દ્વારા પણ આ મામલે વિરોધ દર્શાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા કમ્યુનિસ્ટ વડોદરા જિલ્લા સાંગઠનિક કમિટી મહી નદી પર આવેલ ગંભીરા બ્રિજની તૂટી જવાની ઘટના બની. જેમાં તેર લોકોના મોતથી તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો.જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા ત્રણ વર્ષ અગાઉ ચેતવણી આપ્યા છતાં આ વાતને ગંભીરતાથી ન લીધી જેના કારણે આ દુર્ઘટના ઘટી છે. આ ઘટના તંત્ર દ્વારા પોતાના માનીતાને કોન્ટ્રાક્ટ આપવામાં આચરેલ ભ્રષ્ટાચારને પણ ઉઘાડું પાડે છે એક પછી એક જે રીતે ગુજરાત મોડેલમાં હોનારતો થઈ રહી છે તે સરકારની નિષ્ફળતા બતાવે છે.મોરબી, તક્ષશિલા હરણી બોટકાંડ.હજી કેટલા પુલો તુટશે..?હજી કેટલી આગ લાગશે..? હજુ કેટલા લોકોના જીવ હોમાશે સવાલ આજે દરેક વ્યક્તિના મનમાં છે. એને લઈને એસયુસીઆઈ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

વેસ્ટન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર રેલ્વે ડીઆરએમ કચેરી ખાતે પડતર પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

admin

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વડોદરાના SSG હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવ્યા

admin

વડોદરા શહેરના માંજલપુર સનસીટી સોસાયટીમાં પુરના પાણી ઓસર્યા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં મોરચો પાલિકા કચેરી ખાતે પહોંચ્યો

admin

Leave a Comment