પાલિકાની સામાન્ય સભા ચાલુ હોય ત્યારે સામાજિક કાર્યકર્તા અને કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા એવા મહેન્દ્રસિંહ રાઠોડ પાલિકા ખાતે સ્મશાન બાબતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે પોલીસ અને સિક્યુરિટી દ્વારા ગેટ બંધ કરી તેમને રોકવામાં આવતા હોબાળો મચ્યો હતો.
પાલિકાની સભા શરૂ થતા પહેલા જ પોલીસ નો કાપલો પાલિકાના પ્રાંગણમાં ખડકી દેવામાં આવ્યો હતો સિક્યુરિટી દ્વારા પાલિકાનો મુખ્ય દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો ગતરોજ મુલતવી રહેલી પાલિકાની સભા આજે ફરી શરૂ થઈ હતી તે વચ્ચે પાલિકાના દ્વાર પર મહેન્દ્રસિંહ રાઠોડ પહોંચ્યા હતા અને સ્મશાનમાં જે ભ્રષ્ટાચાર થયો છે તે બાબતની રજૂઆત કરવાની છે તેવું જણાવ્યું હતું પરંતુ પોલીસ અને સિક્યુરિટી સ્ટાફ દ્વારા દ્વાર ખોલવામાં ન આવતા અને તેઓને રજૂઆત કરવા માટે અંદર જવા દેવામાં ન આવતા મહેન્દ્રસિંહ રાઠોડ એ રોષ પ્રગટ કર્યો હતો.

