અનેક વિવાદોના વંટોળમાં ઘેરાયેલ એમ એસ.યુનિવર્સિટીના પૂર્વ વીસી પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવ ઉપર યુનિવર્સિટીના જ પ્રોફેસર દ્વારા કરવામાં આવેલો કેસ પાછો ખેંચવામાં આવ્યો છે.
વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે પદભાર સંભાળતા જ યુનિવર્સિટીના જ પ્રોફેસર સતીશ પાઠક દ્વારા તેમની લાયકાતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. ત્યારે પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે. રાજીનામું આપી દેવું પડ્યું હતું જો કે જે બાદ હવે નવો વળાંક આવ્યો છે. પ્રોફેસર સતીશ પાઠક દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી પીઆઈએલને પાછી ખેંચવામાં આવી હતી. આજે હીયરિંગની તારીખ હતી. આ દરમિયાન આ પીઆઈએલ પાછી ખેંચવામાં આવી છે. આ અંગે વધુ માહિતી પ્રોફેસર સતીશ પાઠકે આપી હતી.

