પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ પર સ્વછતા હી સેવા અંતર્ગત ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પણ સફાઈ કરવામાં આવતી હોય છે ત્યારે નવાપુરા વિસ્તારમાં આવેલ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ શાળાના બાળકો એ સ્વચ્છતા ને લઈને રેલી કાઢી હતી જેમાં બાળકોએ પ્લે કાર્ડ સાથે લોકોને સ્વચ્છતા ત્યાં પ્રભુતા ના સુત્રો સાથે જાગૃત કર્યા હતા અને આ રેલી પૂજ્ય ડોંગરેજી મહારાજ શાળા થઈ ને આસપાસના વિસ્તારમાં ફરી હતી અને સ્થાનિક લોકોને ગંદકી ન કરવા અને સ્વચ્છતા રાખવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા

