Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુરુ નાનક દેવજીની 557મી જન્મજયંતિના પવિત્ર અવસર પર વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી ઉજવણી

શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવજીની 557મી જન્મજયંતિના પવિત્ર અવસર પર ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી ઉજવણી…
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી આ ઉજવણીના ભાગરૂપે એક વિશાળ નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગર કીર્તન યાત્રામાં શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને સુંદર રીતે શણગારેલી પાલખીમાં બિરાજમાન કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવામાં આવી હતી. અને આજે પાંચ નવેમ્બર ના રોજ ગુરુ નાનક દેવજીની 557મી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે નાનકવાડી ખાતે રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કયું હતું સાથે નાનક વાડી ખાતે લંગર નું પણ આયોજન કરવામાં આવ્યું છે આ લંગરમાં હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લેશે

Related posts

વડોદરાના ભૂકી કાંસ ઉપર ગરનાળાનો રોડ બેસી ગયો, મોટી દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ !

admin

નવી સાઇટનાં ખોદકામ વેળા એ દિવાલ ધરાશાયી થવાનો મામલો

admin

BNI બરોડા દ્વારા આયોજિત કોલોઝિયમ-૨૦૨૫માં ૮૦૦થી વધુ બિઝનેસમેન, આંત્રપ્રીન્યોર, પ્રોફેશનલ્સએ ભાગ લીધો

admin

Leave a Comment