૧૩૮ પાવીજેતપુર વિધાનસભા નો કવાંટ ગામે ગાયત્રી મંદિર ના પ્રટાગણ માં ધારાસભ્ય જયંતીભાઇ રાઠવા ના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો જેમા છોટાઉદેપુર લોકસભા ના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતીભાઇ રાઠવા,પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા,છોટાઉદેપુર જિલ્લા પંચાયત ના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબેન રાઠવા,સુરતનભાઈ રાઠવા, સુરેશભાઈ રાઠવા,તાલુકા પ્રમુખ મિલનભાઈ રાઠવા, કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા,યુવા પ્રદેશ અધ્યક્ષ મુકેશભાઈ રાઠવા,સંજયભાઈ રાઠવા, તેમજ પૂર્વ પ્રમુખ રશ્મીકાંતભાઈ વસાવા, રાજેશભાઈ વડેલી, જયેશભાઇ રાઠવા તેમજ ૧૩૮ વિધાનસભા માં આવતા તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

