40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડીમાં નવરાત્રીના નવમા દિવસે ભાથીજી મહારાજની ભવ્ય શોભાયાત્રા ભક્તિમય માહોલ સર્જાયો

નસવાડી ખાતે નવરાત્રીના નવમા દિવસે ભાથીજી મહારાજની ભવ્ય શોભાયાત્રા ધામધૂમથી યોજાઈ હતી. યાત્રા નસવાડીના નામેન બજારથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પરથી ભવ્ય રીતે પસાર થઈ મંદિર ખાતે પહોંચી હતી.
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર નસવાડી શહેર ભક્તિમય રંગે રંગાઈ ગયું હતું. યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ ફૂલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તોના જયઘોષ, ભજન-કીર્તન, ઢોલ-નગારા અને આકર્ષક ધાર્મિક ઝાંખીઓએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉત્સાહથી ભરપૂર બનાવી દીધું હતું.
શહેરના વેપારીઓ અને રહેવાસીઓએ પણ ઉત્સાહપૂર્વક યાત્રાનું સ્વાગત કરીને પોતાની અખૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમજ ટ્રાફિકનું સુચારૂ નિયંત્રણ રાખવામાં આવ્યું હતું.
અંતે શોભાયાત્રા મંદિર ખાતે પહોંચી, જ્યાં વિધિવત પૂજન-અર્ચન સાથે કાર્યક્રમનો ભવ્ય સમાપન કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળ રીતે પૂર્ણ થયો હતો

Related posts

છોટાઉદેપુર તાલુકાના સિંગલા, લુણી અને બાળવાવ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી

admin

ચુલી ખાતે યોજાનાર સમૂહ લગ્નને લઈને પૂર્વ રેલ રાજ્ય મંત્રી અને પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

admin

GSHSEB, ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ HSC વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર થયા

admin

Leave a Comment