Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

રાજકીય ક્ષેત્રે ગુરુ અને બ્રાહ્મણ એવા ધારાસભ્ય શૈલેષ મહેતા ના નગર તેમજ તાલુકાના યુવાનોએ આશીર્વાદ લીધા

ગુરુપૂર્ણિમા નિમિતે આજે ડભોઇ વિવિધ જગ્યા એ ગુરુપૂર્ણિમા પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજકીય ક્ષેત્રે ગુરુ અને બ્રાહ્મણ એવા ધારાસભ્ય શૈલેષ મહેતા ના નગર તેમજ તાલુકાના યુવાનોએ આશીર્વાદ લીધા હતા. ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધનું પ્રતિક છે. આ દિવસે, શિષ્યો તેમના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને તેમના જ્ઞાન અને માર્ગદર્શન માટે તેમનો આદર કરે છે. ગુરુ પૂર્ણિમા એ ભારતમાં પોતાના આધ્યાત્મિક ગુરુ તેમજ શૈક્ષણિક ગુરુઓને આદર આપવા માટે ઉજવવામાં આવતો તહેવાર છે. હિન્દુ ધર્મના આદિ ગુરુ ગણાતા ભગવાન વેદ વ્યાસનો જન્મ ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હતો. વેદ વ્યાસે મહાભારત, વેદ અને પુરાણ સહિત ઘણા મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથોની રચના કરી હતી. વધુમાં, ગુરુ પૂર્ણિમાને ભગવાન કૃષ્ણ દ્વારા તેમના ગુરુ ઋષિ શાંડિલ્યને જ્ઞાન આપવા માટે પસંદ કરવામાં આવી હતી. આ દિવસે ભગવાન બુદ્ધે પણ તેમના પ્રથમ પાંચ શિષ્યોને ઉપદેશ આપ્યો હતો.ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતા એ તમામ રાજકીય ક્ષેત્રમાં સંકળાયેલા તમામ શિષ્યોને આશીર્વાદ આપ્યા હતા

Related posts

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ અને રાજીવ આવાસ યોજના હેઠળ ડ્રો નો કાર્યક્રમ કરવામાં આવ્યો

admin

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન ત્રણેય હવામાન સિસ્ટમો એકસાથે સક્રિય થતાં વાતાવરણમાં એકાએક પલટો

admin

ભારદારી વાહન પર વીજ વાયર પડતા ચાલકનું વીજ કરંટ લાગવાના કારણે ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત થયું

admin

Leave a Comment