40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટા ઉદેપુર જિલ્લાના અધિકારીઓ સાંસદને પણ ગાંઠતા નથી તો સામાન્ય પ્રજાનું શું થાય ?

છોટા ઉદેપુર જિલ્લોમાં અધિકારીઓનું રાજ. સામાન્ય પ્રજાતો ઠીક પણ હવે સાંસદને પણ ગાંઠતા નથી. તેનો પુરાવો સાંસદશ્રી જશુભાઈ રાઠવાએ કલેક્ટરશ્રી લખેલ પત્રથી જણાય આવે છે.
સાંસદશ્રી જશુભાઈ રાઠવા દ્રારા ૧૦/૦૯/૨૦૨૪ના રોજ અને ૧૭/૦૯/૨૦૨૪ના રોજ કલેક્ટરશ્રીને લખેલ પાત્ર મુજબ તેઓ એ કરેલ પશ્ન તેમજ માંગેલ માહિતી સમયસર આપવામાં આવતી નથી. જેથી તેઓને લોકોના પ્રશ્નોના અભ્યાસ કરી શકતા નથી. અને જો કોઈ માહિતી આપે છે તે અધૂરી હોય છે. જેના લીધી લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા ખુબ મુશ્કેલી પડે છે. જેના અનુસંધાને સમયસર માહિતી મળે તે હેતુ સર કલેક્ટરશ્રીને સાંસદ જશુભાઈ રાઠવા દ્રારા પત્ર લખવામાં આવ્યો છે.

સાંસદશ્રી જશુભાઇ રાઠવાનો આ પત્ર ચર્ચાનો વિષય બની ગયો છે. જો એક સાંસદને અધિકારીઓ દ્રારા સમયસર જવાબ મળતા ન હોય તો સામાન્ય પ્રજાનું શું થાય ? આ પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા જર્જરિત બ્રિજને લઈ વિરોધ પ્રદર્શન

admin

નસવાડી તાલુકાના રાજપુરા ગામનો લો લેવલનો કોઝ વે રીપેરીંગ બાદ ફરી ધોવાઈ જતા બે દિવસથી પ્રાથમિક શાળા બંધ

admin

છોટાઉદેપુર જિલ્લાની APMC બોડેલી સંસ્થા દ્વારા વિશેષ પોસ્ટકાર્ડ ૨૦૦૦ લખવાની ઝુંબેશનું આયોજન

admin

Leave a Comment