શહેરના અટલાદરા સ્થિત BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે તબીબો અને કર્મચારીઓની સમજાવટથી 61 વર્ષીય મહિલા દર્દીનું અંગદાન કરવામાં આવ્યુ છે. આ અંગદાન ઝઘડીયા તાલુકાના હીચવાડા ગામના દર્દી પ્રસન્ના બાનું પરીવારજનોની સહમતિથી કરાયું હતું. આ અંગદાન થકી તેના પતિ અને પુત્રોએ ત્રણ લોકોનાં નવી જીંદગી આપવાનો નિર્ણય લીધો હતો. આ દર્દી પંચમહાભૂતમાં વિલિન થાય તે પૂર્વે જ બે કીડની અને લીવર મળી પાંચ અંગનું દાન કરાયું. જે ત્રણ લોકોનાં જીવનમાં પ્રકાશ ફેલાવશે.

