પાવીજેતપુર થી 2 કિલોમીટર જેટલા અંતરે આવેલ શિહોદ પાસે ભારજ નદીનો પુલ અગાઉ બેસી ગયો હતો. પુલ બેસી જતાં રંગલી ચોકડી થઇ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. તેથી ૨૫ થી 30 કિલોમીટર જેટલો ફેરો ફરવાનો વારો લોકોને આવ્યો હતો. ત્યારે છોટાઉદેપુરના ધારાસભ્ય, પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચ તથા પુલની આજુબાજુના ગામડાના સરપંચો અને જનતાના સંયુક્ત પ્રયાસોથી જનતા ડાયવર્ઝનની શરૂઆત કરાઇ હતી. આ ડાયવર્ઝન શરૂઆતમાં તો આશીર્વાદરૂપ સાબિત થયું હતું. પરંતુ ગઈ કાલથી વરસાદ વરસતાં પાણીનો પ્રવાહ વધતા ડાયવર્ઝન ધોવાયો. જેથી ડાયવર્ઝન બંધ થતા ફરી ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. લોકોને ફરીથી જેસે થે વૈસે ની પરિસ્થિતિ આવી.

