વડોદરા શહેરના નવાબજારમાં આવેલ એક ફર્નિચરની દુકાનમાં મધરાત્રીના આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. રાત્રિના લગભગ 1 વાગ્યાના સમયે આગ લાગી હતી. ત્રણ માળની આ દુકાનના બે માળ સુધી આગ ફેલાઈ ગઈ હતી.
સદનસીબે રાત્રિના સમયે ઘટના બનવાથી કોઈ જાનહાનિ થઈ નથી, જોકે દુકાનમાં મુકેલો મોટાભાગનો ફર્નિચર સામાન આગમાં બળીને ખાખ થયો છે. ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. સમયસર આગ કાબુમાં લેતા આજુબાજુની દુકાનોને મોટી દુર્ઘટનાથી બચાવવામાં આવી હતી.
આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી

