વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ સ્વામી રેસીડેન્સીમાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં ફૂટનો ધંધો કરતા એક વેપારીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગની ઘટનામાં ગોડાઉનમાં રાખેલ માલસામાન બળી જતા અંદાજે ₹30,000 થી ₹35,000 જેટલું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આસપાસના લોકોની સતર્કતાથી સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી.

