શહેરના સરદાર એસ્ટેટ નજીક આવેલા શ્રી ડભોઇ દશાલાડ ભવન હોલ સામે મારુતિ લાઇનિગ એન્ડ ફર્નિચરની દુકાનમાં ચાર વાગ્યાના અરસામાં આગ લાગતાં અંદાજે પંદર લાખના ફર્નિચર સહિત સામાન આગમાં બળીને ખાખ થયો જો કે સદનસીબે કોઇ જાનહાનિ કે ઇજા પહોંચી ન હતી.ઘટનાને પગલે એક તરફના રોડ પર ટ્રાફિક જામ થતા ફાયરબ્રિગેડ ની ગાડીઓ અટવાઈ હતી જો કે બાપોદ પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક સુચારૂ કરી ફાયરબ્રિગેડ માટે જગ્યા કરી આપી હતી ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતી.દુકાનના માલિક તથા પરિવારનાં સભ્યો થોડોક અંતરે લગ્નમાં હોય તરત આવી પહોંચ્યા હતાં જ્યાં નુકશાન જોઇ તેઓ ચોધાર આસુઓએ આક્રંદ કરી મૂક્યુ હતું

