ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડાએ ભારતીય વિચાર મંચ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ – એમ.એસ.યુ.ના સહયોગથી “આધુનિક સંશોધનમાં ભારતીયતા : પદ્ધતિશાસ્ત્ર અને ભવિષ્યનાં માર્ગદર્શન” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય આયોજન કર્યું.
ડીપ ઑડિટોરિયમ, એમ.કોમ. બિલ્ડિંગ ખાતે આયોજિત આ સેમિનારમાં યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાંથી પ્રોફેસર, સંશોધક વિદ્યાર્થી અને શિક્ષણવિદોની ઉત્સાહપૂર્ણ હાજરી રહી. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલન, સરસ્વતી વંદના અને યુનિવર્સિટી ગાન સાથે થયો. ભારતીય વિચાર મંચ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ – એમ.એસ.યુ. ના અધ્યક્ષ પ્રો. અમિત ધોળકિયા એ સ્વાગત ભાષણ આપતાં જણાવ્યું કે આધુનિક સંશોધનમાં ભારતીય મૂલ્યો, દાર્શનિકતા અને સંસ્કૃતિક વારસાને આવશ્યક રીતે સામેલ કરવા સમયની જરૂરિયાત છે. અંગ્રેજો જ્યારે ભારત આવ્યા ત્યારથી સંસ્કૃતિ પર ઘણા પ્રહાર કરવામાં આવ્યા પણ આપણી સંસ્કૃતિ જળ ખૂબ ઊંડી છે તેથી એટલી અસર ના પડી પણ આજે પણ સંસ્કૃતિ અને પરંપરા તેવા પ્રહારો ચાલુ જ છે તો તેના માટે જાગૃતિ લાવવી આજ ના સમય ની જરૂરિયાત છે.

